આઇન્સ્ટાઇનનો વિશિષ્ટ સાપેક્ષવાદ લખો અને સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી દળને ઊર્જાના સ્વરૂપે ગણવું જોઈએ.

આ સાપેક્ષવાદ પહેલાં એમ માનવામાં આવતું હતું કે કોઈ પ્રક્રિયામાં દળ અને ઊર્જાનું અલગ-અલગ સંરક્ષણ થાય છે.

પણ આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે, દળ એ ઊર્જાનું બીજું સ્વરૂપ છે અને દળ તથા ઊર્જાનું રૂપાંતર ગતિ ઊર્જા જેવી બીજા પ્રકારની ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે અને તેનાથી ઊલટું કોઈ પણ સ્વરૂપની ઊર્જાનું રૂપાંતર દળના સ્વરૂપમાં થઈ શકે છે.

આ દળ-ઊર્જાના સમતુલ્યતાનો સંબંધ $E = mc^2$ છે.

જ્યાં $m =$ દળ છે, $C =$ પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે જેનું મૂલ્ય $3 x 10 ms^{-1}$ બરાબર છે. આઇન્સ્ટાઇનના દળ-ઊર્જા સમીકરણની પ્રાયોગિક ચકાસણી ન્યુક્લિયોન, ન્યુક્લિયસ, ઇલેક્ટ્રૉન અને હાલમાં શોધેલ અન્ય કણો વચ્ચેની ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં કરાયેલ છે. ઊર્જા સંરક્ષણનો નિયમ એ છે કે, ન્યુક્લિયર પ્રક્રિયામાં પ્રારંભિક દળ અને ઊર્જા અને અંતિમ દળ અને ઊર્જા સમાન હોય છે. ન્યુક્લિયસના દળો અને ન્યુક્લિયસની એકબીજા સાથેની આંતરક્રિયા સમજવામાં આ વિભાવના મહત્ત્વની છે

Similar Questions

નીચે બધા જ સાચાં વિધાનો આપેલા છે.

$(A)$ $n$ મી કક્ષામાં ભ્રમણ કરતા ઈલેકટ્રોન માટે કોણીય વેગમાન $h$ ના પૂર્ણગુણાંકમાં હોય છે.

$(B)$ ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતા નથી.

$(C)$ નયુક્લિયર બળો સ્પિન ઉપર આધાર રાખે છે.

$(D)$ નયુક્લિયર બળો કેન્દ્રિય અને વિદ્યુતભાર થી સ્વતંત્ર છે.

$(E)$ ન્યુક્લિયસની સ્થિરતા પેકીંગ ફેક્રશનના વ્યસ્ત પ્રમણમાં હોય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2024]

જેમ દળ ક્રમાંક $A$ વધે તો ન્યુક્લિયસ સાથે સંબંધિત કઈ રાશિમાં ફેરફાર થશે નહિ?

જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $ R_{Al}$ હોય, તો${}_{53}^{125}Te$ ના ન્યુકિલયસની ત્રિજયા આશરે કેટલી હશે?

  • [AIPMT 1990]

નીચેનામાંથી કયો ન્યુક્લિઅસ આઈસોટોનની જોડ દર્શાવે છે?

જો $F_{pp} ,  F_{nn} $ અને $F_{pn}$ એ અનુક્રમે પ્રોટોન -પ્રોટોન, ન્યૂટ્રોન-ન્યૂટ્રોન અને પ્રોટોન-ન્યૂટ્રોન જોડકાં વચ્ચે લાગતું ન્યુક્લિયર બળ હોય, તો.....

  • [AIPMT 1991]